________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ].
[ ર૭ ઉ. જેના સંયોગથી આ જીવ, જીવનઅવસ્થાને પ્રાપ્ત થાય અને વિયોગથી મરણ અવસ્થાને પ્રાપ્ત થાય, તેને પ્રાણ કહે છે. ૧૨૨ પ્ર. પ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. ૧૨૩ પ્ર. દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. દશ છે. મન, વચન, કાય, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુ. ૧૨૪ પ્ર. ભાવપ્રાણ કોને કહે છે?
ઉ. આત્માની જે શક્તિના નિમિત્તથી ઇન્દ્રિયાદિક પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવપ્રાણ કહે છે. ૧૨૫ પ્ર. કયા જીવને કેટલા પ્રાણ હોય છે?
ઉ. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હોય છે. સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુ. દ્વીન્દ્રિય જીવને છે પ્રાણ-સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય અને વચન, ત્રીન્દ્રિય જીવને સાત પ્રાણસ્પર્શનેન્દ્રિય, કાય-બળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય, વચન, ધ્રાણેન્દ્રિય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com