________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૨૫ ઉ. ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માના વિભાવ પરિણામોને કષાય કહે છે. ૧૧૧ પ્ર. ચારિત્રના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે. સ્વરૂપાચરણચારિત્ર, દેશચારિત્ર, સકલચારિત્ર, અને યથાખ્યાતચારિત્ર કહે છે. ૧૧૨ પ્ર. સ્વરૂપાચરણચારિત્ર કોને કહે છે?
ઉ. શુદ્ધાત્માનુભવથી અવિનાભાવી ચારિત્રવિશેષને સ્વરૂપાચરણચારિત્ર કહે છે. ૧૧૩ પ્ર. દેશચારિત્ર કોને કહે છે?
ઉ. શ્રાવકોના વ્રતોને દેશચારિત્ર કહે છે. ૧૧૪ પ્ર. સકલચારિત્ર કોને કહે છે?
ઉ. મુનિઓનાં વ્રતોને સકલચારિત્ર કહે છે. ૧૧૫ પ્ર. યથાખ્યાતચારિત્ર કોને કહે છે?
ઉ. કષાયોના સર્વથા અભાવથી પ્રાદુર્ભત આત્માની શુદ્ધિવિશેષને યથાખ્યાતચારિત્ર કહે છે. ૧૧૬ પ્ર. સુખગુણ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com