________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[અધ્યાય : ૧ ૧૦૫ પ્ર. શ્રદ્ધા ગુણ કોને કહે છે?
ઉ. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ(યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધાળુણ કહે છે. ૧૦૬ પ્ર. ચારિત્ર ગુણ કોને કહે છે?
ઉ. બાહ્ય અને આત્યંતર ક્રિયાના નિરોધથી પ્રાદુર્ભત આત્માની શુદ્ધિવિશેષને ચારિત્ર કહે છે, આવા ચારિત્રની કારણભૂત શક્તિને ચારિત્ર ગુણ કહે છે. ૧૦૭ પ્ર. બાહ્યક્રિયા કોને કહે છે?
ઉ. હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, મૈથુન સેવવું, પરિગ્રહુસંચય કર્યા કરવો. ૧૦૮ પ્ર. આત્યંતર ક્રિયા કોને કહે છે?
ઉ. યોગ અને કષાયને આત્યંતર ક્રિયા કહે છે. ૧૦૯ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશો ચંચળ થવાપણાનો યોગ કહે છે. ૧૧૦ પ્ર. કષાય કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com