________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૨૧ એવા દ્રઢ જ્ઞાનને અવાય કહે છે. જેમકે-તે ઠાકોરદાસજી જ છે, બીજો કોઈ નથી. અવાયથી જાણેલા પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ જાય છે. ૯૨ પ્ર. ધારણા કોને કહે છે?
ઉ. જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાન્તરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. ૯૩ પ્ર. મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા ભેદ છે?
ઉ. બે છે. વ્યક્તિ અને અવ્યક્ત. ૯૪ પ્ર. અવગ્રહાદિક જ્ઞાન બન્નેય પ્રકારના પદાર્થોમાં થઈ શકે છે અથવા કેવી રીતે?
ઉ. વ્યક્ત( પ્રગટરૂપ) પદાર્થમાં અવગ્રહાદિક ચારે જ્ઞાન હોય છે. પરંતુ અવ્યક્ત(અપ્રગટરૂપ) પદાર્થનું માત્ર અવગ્રહ જ્ઞાન જ હોય છે. ૯૫ પ્ર. અર્થાવગ્રહ કોને કહે છે?
ઉ. વ્યક્ત( પ્રગટ) પદાર્થના અવગ્રહજ્ઞાનને અર્થાવગ્રહ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com