________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ અધ્યાય : ૧ ૮૭ પ્ર. પરોક્ષ મતિજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન. ૮૮ પ્ર. મતિજ્ઞાનના બીજી રીતે કેટલા ભેદ છે?
ઉ. ચાર છે:- અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. ૮૯ પ્ર. અવગ્રહ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિય અને પદાર્થના યોગ્ય સ્થાનમાં (મૌજાદ સ્થાનમાં) રહેવાથી સામાન્યપ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તરસત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે. જેમકે આ મનુષ્ય છે. ૯૦ પ્ર. ઇહાજ્ઞાન કોને કહે છે?
ઉ. અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતા એવા અભિલાષ સ્વરૂપ જ્ઞાનને ઇહા કહે છે. જેમકે-તે ઠાકુરદાસજી છે. આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઈપણ પદાર્થની ઇહા થઈને છૂટી જાય, તો તેના વિષયમાં કાળાન્તરમાં સંશય અને વિસ્મરણ થઈ જાય છે. ૯૧ પ્ર. અવાય કોને કહે છે?
ઉ. ઇહાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com