________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ અધ્યાય : ૫ ભેદ કરે, તે વ્યવહારનય છે. જેમકે જીવના ભેદ સિદ્ધ અને સંસારી વગેરે કરવા. ૬૫૩ પ્ર. પર્યાયાર્થિકનયના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છે. ઋજાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. ૬૫૪ પ્ર. ઋજુસૂત્રનય કોને કહે છે?
ઉ. ભૂત-ભવિષ્યની અપેક્ષા ન કરીને વર્તમાન પર્યાય માત્રને જે ગ્રહણ કરે તે ઋજાસૂત્રનય છે. ૬૫૫ પ્ર. શબ્દનય કોને કહે છે?
ઉ. લિંગ, કારક, વચન, કાળ, ઉપસર્નાદિકના ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે, તે શબ્દનય છે. જેમકે-દારા, ભાર્યા, કલત્ર એ ત્રણે જુદા જુદા લિંગના શબ્દ એક જ સ્ત્રી પદાર્થના વાચક છે. તેથી આ નય સ્ત્રી પદાર્થને ત્રણ ભેદરૂપ ગ્રહણ કરે છે. એવી રીતે કારકાદિનું પણ દષ્ટાંત જાણવું. ૬૫૬ પ્ર. સમભિરૂઢનય કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com