________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[અધ્યાય : ૫ ઉ. વસ્તુના કોઈ અસલી(મૂળ) અંશને ગ્રહણ કરવા વાળા જ્ઞાનને નિશ્ચયનય કહે છે. જેમકે-માટીના ઘડાને માટીનો ઘડો કહેવો. ૬૪૫ પ્ર. વ્યવહારનય કોને કહે છે?
ઉ. (૧) કોઈ નિમિત્તની અપેક્ષાએ એક પદાર્થને બીજા પદાર્થરૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. જેમકે-માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો કહેવો. (૨) એક અખંડ દ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. (૩) વ્યવહારનય પરાશ્રિત
૬૪૬ પ્ર. નિશ્ચયનયના કેટલા ભેદ છે?
ઉ. બે છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય. ૬૪૭ પ્ર. દ્રવ્યાર્થિકનય કોને કહે છે?
ઉ. જે દ્રવ્ય અર્થાત્ સામાન્યને ગ્રહણ કરે. ૬૪૮ પ્ર. પર્યાયાર્થિકનય કોને કહે છે?
ઉ. જે વિશેષને( ગુણ અથવા પર્યાયને) વિષય કરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com