________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૬૩ ૬૩૯ પ્ર. સંશય કોને કહે છે?
ઉ. વિરુદ્ધ અનેક કોટી સ્પર્શ કરવાવાળા જ્ઞાનને સંશય કહે છે. જેમકે સીપ છે કે ચાંદી ? ૬૪૦ પ્ર. વિપર્યય કોને કહે છે?
ઉ. વિપરીત એક કોટી( પ્રકાર) નો નિશ્ચય કરવાવાળા જ્ઞાનને વિપર્યય કહે છે; જેમકે સીપને ચાંદી જાણવી. ૬૪૧ પ્ર. અનધ્યવસાય કોને કહે છે?
ઉ. “આ શું છે” એવા પ્રતિભાસને અનધ્યવસાય કહે છે. જેમકે રસ્તામાં ચાલતાં થકાં તૃણ વગેરેનું જ્ઞાન. ૬૪૨ પ્ર. નય કોને કહે છે?
ઉ. વસ્તુના એક દેશ (ભાગ)ને જાણવાવાળા જ્ઞાનને નય કહે છે. ૬૪૩ પ્ર. નયના કેટલા ભેદ છે?
ઉ. બે છે. એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય અથવા ઉપનય. ૬૪૪ પ્ર. નિશ્ચયનય કોને કહે છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com