________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૫૫ ૬૦૨ પ્ર. વિરુદ્ધહેત્વાભાસ કોને કહે છે?
ઉ. સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે જેની વ્યાતિ હોય, તેને વિરુદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે-“શબ્દ નિત્ય છે કેમકે પરિણામી છે” આ અનુમાનમાં પરિણામીની વ્યાતિ અનિત્યની સાથે છે, નિત્યની સાથે નથી, તે માટે નિત્યત્વનો “પરિણામી હેતુ” વિરુદ્ધ હેત્વાભાસ છે. ૬૦૩ પ્ર. અનૈકાન્તિક( વ્યભિચારી) હેત્વાભાસ કોને કહે
ઉ. જે હેતુ પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપે તેને અનૈકાન્તિક( વ્યભિચારી) હેત્વાભાસ કહે છે. જેમકે “ આ ઓરડામાં ધૂમાડો છે કેમકે તેમાં અગ્નિ છે.” અહીંયા અગ્નિ, હેતુ, પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપક હોવાથી અનૈકાન્તિકહેત્વાભાસ છે. ૬૦૪ પ્ર. પક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યને રહેવાનો શક હોય. જેમકે ઉપરના દષ્ટાંતમાં ઓરડો. ૬૦૫ પ્ર. સપક્ષ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com