________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ અધ્યાય : ૫ ૫૯૭ પ્ર. અસિદ્ધ કોને કહે છે?
ઉ. જે બીજા પ્રમાણથી સિદ્ધ ન થયું હોય અથવા જેનો નિશ્ચય ન હોય તેને અસિદ્ધ કહે છે. પ૯૮ પ્ર. અનુમાન કોને કહે છે?
ઉ. સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. ૫૯૯ પ્ર. હેત્વાભાસ(સાધનાભાસ) કોને કહે છે?
ઉ. સદોષ હેતુને અથવા દોષ સહિત હેતુને. ૬૦૦ પ્ર. હેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે:- અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક (વ્યભિચારી) અને અકિંચિત્કર. ૬૦૧ પ્ર. અસિદ્ધહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુના અભાવનો (ગેરહાજરીનો) નિશ્ચય હોય અથવા તેના ભાવમાં (હાજરીમાં) સંદેહ(શક ) હોય, તેને અસિદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે “શબ્દ નિત્ય છે કેમકે નેત્રનો વિષય છે”, પરંતુ શબ્દ કર્ણ (કાન) નો વિષય છે. નેત્રનો થઈ શકતો નથી, તેથી “નેત્રનો વિષય” એ હેતુ અસિદ્ધહેત્વાભાસ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com