________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૫૩ હોવું અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય ત્યાં ત્યાં સાધનના પણ ન હોવાને અવિનાભાવસંબંધ કહે છે. જેમકે-જ્યાં
જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે અને જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી. ૫૯૩ પ્ર. સાધન કોને કહે છે?
ઉ. જે સાધ્ય વિના ન હોય. જેમકે-અગ્નિનો હેતુ( સાધન) ધૂમાડો. ૫૯૪ પ્ર. સાધ્ય કોને કહે છે?
ઉ. ઇષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે. પ૯૫ પ્ર. ઇષ્ટ કોને કહે છે?
ઉ. વાદી અને પ્રતિવાદી જેને સિદ્ધ કરવાને ચાહે તેને ઇષ્ટ કહે છે. ૫૯૬ પ્ર. અબાધિત કોને કહે છે?
ઉ. જે બીજા પ્રમાણથી બાધિત ન હોય. જેમકેઅગ્નિમાં ઠંડાપણું પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. એ કારણથી આ ઠંડાપણું સાધ્ય ( સિદ્ધ) થઈ શકતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com