________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૪૯ કહે છે. પ૭૦ પ્ર. પ્રમાણ કોને કહે છે?
ઉ. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ૭૧ પ્ર. પ્રમાણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે. એક પ્રત્યક્ષ અને બીજા પરોક્ષ. ૫૭૨ પ્ર. પ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે પદાર્થને સ્પષ્ટ જાણે. પ૭૩ પ્ર. પ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે. એક સાંવ્યવહારિકપ્રત્યક્ષ, અને બીજે પારમાર્થિકપ્રત્યક્ષ. પ૭૪ પ્ર. સાંવ્યવહારિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થને એક દેશ(ભાગ) સ્પષ્ટ જાણે. પ૭૫ પ્ર. પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે કોઈની પણ સહાયતા વગર પદાર્થને સ્પષ્ટ
જાણે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com