________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ અધ્યાય : ૧ ૫૦ પ્ર. દ્રવ્યોમાં વિશેષ ગુણ કયા કયા છે? x
ઉ. જીવ દ્રવ્યમાં ચેતના, સમ્યકત્વ, ચારિત્ર ક્રિયાવતી શક્તિ ઇત્યાદિ; પુદ્ગલદ્રવ્યમાં સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ ક્રિયાવતી શક્તિ ધર્મદ્રવ્યમાં ગતિહેતુત્વ વગેરે; અધર્મ દ્રવ્યમાં સ્થિતિહેતુત્વ વગેરે; આકાશ દ્રવ્યમાં અવગાહનહેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમનહેતુત્વ વગેરે. ૫૧ પ્ર. આકાશના કેટલા ભેદ છે?
ઉ. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. પર પ્ર. આકાશ કયાં છે?
ઉ. આકાશ સર્વવ્યાપી છે. પ૩ પ્ર. લોકાકાશ કોને કહે છે?
ઉ. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ એ પાંચ * જીવ અને પુદગલમાં, પોત પોતાની, ક્રિયાવતી નામની ખાસ એક શક્તિ છે
કે જેના કારણે તે પોત પોતાની લાયકાત અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે. કોઈ દ્રવ્ય (જીવ કે પુદ્ગલ) એક બીજાને ગમન કે સ્થિર કરાવતું નથી. તે બન્ને દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની પર્યાયની લાયકાત અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com