________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૩ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. ૫૪ પ્ર. અલોકાકાશ કોને કહે છે?
ઉ. લોકના બહારના આકાશને અલોકાકાશ કહે છે. ૫૫ પ્ર. લોકની મોટાઈ, ઊંચાઈ અને પહોળાઈ કેટલી છે?
ઉ. લોકની મોટાઈ ઉત્તર અને દક્ષિણ દિશામાં સર્વ જગ્યાએ સાત રાજદૂ છે. પહોળાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂળમાં (નીચે જમીનમાં) સાત રાજા છે. અને ઉપર અનુક્રમે ઘટીને સાત રાજાની ઊંચાઈ ઉપર પહોળાઈ એક રાજા છે. પછી અનુક્રમે વધીને સાડા દશ રાજાની ઊંચાઈ ઉપર પહોળાઈ પાંચ રાજા છે. પછી અનુક્રમે ઘટીને ચૌદ રાજાની ઊંચાઈ ઉપર એક રાજા પહોળાઈ છે. અને ઊર્ધ્વ તથા અધો દિશામાં ઊંચાઈ ચૌદ રાજુની છે. પ૬ પ્ર. ધર્મ તથા અધર્મ દ્રવ્ય ખંડરૂપ છે કે અખંડરૂપ છે? અને તેની સ્થિતિ કયાં છે?
ઉ. ધર્મ અને અધર્મ બન્ને એક એક અખંડ દ્રવ્ય છે અને તે બન્નેય સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com