________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૧ ૪૪ પ્ર. અર્થપર્યાયના કેટલા ભેદ છે?
ઉ. બે છે. સ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય. ૪૫ પ્ર. સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે?
ઉ. બીજાના નિમિત્ત વિના જે અર્થપર્યાય હોય, તેને સ્વભાવઅર્થપર્યાય કહે છે. જેમકે-જીવનું કેવળજ્ઞાન. ૪૬ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે?
ઉ. બીજાના નિમિત્તથી જે અર્થપર્યાય હોય, તેને વિભાવઅર્થપર્યાય કહે છે. જેમકે-જીવના રાગ, દ્વેષ આદિ. ૪૭ પ્ર. ઉત્પાદ કોને કહે છે?
ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિને ઉત્પાદ કહે છે. ૪૮ પ્ર. વ્યય કોને કહે છે?
ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. ૪૯ પ્ર. ધ્રૌવ્ય કોને કહે છે?
ઉ. પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ પણ અવસ્થાની નિત્યતાને ધ્રૌવ્ય કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com