________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૪૧ પ્રકૃતિનો બંધ થાય છે. ૫૪૪ પ્ર. અગિયારમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. દશમાં ગુણસ્થાનમાં જે ૬૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિત્તિપ્રકૃતિ એક સંજ્વલન લોભને ઘટાડવાથી બાકી રહેલી ૫૯ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૪૫ પ્ર. અગિયારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. નવમાં ગુણસ્થાન અને દશમા ગુણસ્થાનની માફક દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિને ૧૪૨ પ્રકૃતિ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૫૪૬ પ્ર. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય છે?
ઉ. મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક ભાજનવત જળની માફક અત્યંત નિર્મલ અવિનાશી યથાખ્યાત ચારિત્રના ધારક મુનિને ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાન થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com