________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
[અધ્યાય : ૪ સકલ સંયમને ઘાતવામાં સમર્થ નથી, તેથી ઉપચારથી સંયમનો ઉત્પાદક કહ્યો છે, તેથી આ ગુણસ્થાનવર્તી મુનિને પ્રમત્તવિરત અર્થાત્ ચિત્રલાચરણી કહે છે. ૫૦૯ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં જે ૬૭ પ્રકૃતિઓનો બંધ થાય છે, તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર વ્યછિન્ન પ્રકૃતિઓ બાદ કરવાથી બાકી રહેલી ૬૩ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૫૧૦ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિન્ન પ્રકૃતિ આઠ (પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, તિર્યગૃતિ, તિર્યગાયુ, ઉદ્યોત, અને નીચગોત્ર) ને ઘટાડવાથી બાકી રહેલી ૭૯ પ્રકૃતિઓમાં આહારક શરીર, અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિ ઉમેરવાથી ૮૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૧૧ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com