________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[અધ્યાય : ૪ ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી જે કે સંયમભાવ થતો નથી, તોપણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉપશમથી શ્રાવકવ્રતરૂપ દેશચારિત્ર થાય છે, તેને જ દેશવિરત નામે પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમું આદિ ઉપરના સર્વ ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી સમ્યજ્ઞાન અવશ્ય થાય છે, એના વિના પાંચમા છઠ્ઠા વગેરે ગુણસ્થાનો થતાં નથી. ૫૦૫ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૭૭ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિન્ન ૧૦ (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, મનુષ્યગતિ, મનુષ્યગત્યાનુપૂર્વી, મનુષ્યાયુ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, વજઋષભનારા સંહનન) ને બાદ કરવાથી બાકી રહેલી ૬૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૫૦૬ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com