________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૧૭ પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે તથાપિ કવલજ્ઞાનના થયા વિના સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી, તેથી આ બારમા ગુણસ્થાન સુધી જે કે સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે (કમક ક્ષાયિક સમ્યત્વના વગર ક્ષપકશ્રેણી ચઢાતી નથી અને ક્ષપકશ્રેણીના વગર બારમા ગુણસ્થાને જાય નહિ.) તોપણ સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી અત્યારસુધી મોક્ષ થતો નથી.
તેરમું સયોગકેવલી ગુણસ્થાન યોગોના સદ્દભાવની અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ યોગ અને કેવળજ્ઞાનના નિમિત્તથી યોગ કેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે, પરંતુ ચારિત્ર ગુણની પૂર્ણતા ન હોવાથી, મોક્ષ નથી થતો.
ચૌદમું અયોગકેવળી ગુણસ્થાન યોગોના અભાવની અપેક્ષાએ છે તેથી તેનું નામ અયોગકેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર એ ત્રણે ગુણોની પૂર્ણતા થઈ જાય છે, તેથી મોક્ષ પણ હવે દૂર રહ્યો નથી, અર્થાત્ એ, ઈ, ઉં, ઝ, લુ, એ પાંચ સ્વ
સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો વખત લાગે છે તેટલા જ વખતમાં મોક્ષ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com