________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
[ અધ્યાય : ૪
૧૧૬ ] વૃદ્ધિ થતી જાય છે.
અગિયારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના ઉપશમથી થાય છે, તેથી અગિયારમા ગુણસ્થાનમાં ઔપમિક ભાવ થાય છે. જો કે અહીં ચારિત્રમોહનીય કર્મનો પૂર્ણતયા ઉપશમ થઈ ગયો છે, તોપણ યોગનો સદ્દભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. કેમકે સમ્યક્ચારિત્રના લક્ષણમાં યોગ અને કષાયના અભાવથી પૂર્ણ સમ્યક્ચારિત્ર થાય છે એવું લખ્યું છે.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી થાય છે તેથી અહીં ક્ષાયિક ભાવ થાય છે. આ ગુણસ્થાનમાં પણ અગિયારમાં ગુણસ્થાનની મા સમ્યક્ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યજ્ઞાન ગુણ જા કે ચોથા ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ચૂકયો હતો. ભાવાર્થ-જો કે આત્માના જ્ઞાનગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી આવી રહ્યો છે, તો પણ દર્શન મોહનીય કર્મનો ઉદય થવાથી તે જ્ઞાન મિથ્યારૂપ હતું. પરંતુ ચોથા ગુણસ્થાનમાં જ્યારે દર્શનમોહનીયકર્મના ઉદયનો અભાવ થઈ ગયો, ત્યારે તે જ આત્માનો જ્ઞાનપર્યાય સભ્યજ્ઞાન હેવાવા લાગ્યો. અને પંચમાદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણાદિના નિમિત્તથી અવધિ, મન:પર્યયજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com