________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૧૫ ઉભયરૂપ થાય છે.
પહેલા ગુણસ્થાનમાં ઓદયિકભાવ, ચોથા ગુણસ્થાનમાં ઔપથમિક, ક્ષાયિક અથવા ક્ષાયોપથમિકભાવ અને ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજાં ગુણસ્થાન દર્શનમોહનીય કર્મના ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષાયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી, તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી પરિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધીરૂપ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી સમ્યત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યકત્વ નથી અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ અને સમ્યકત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે.
પાંચમાં ગુણસ્થાનથી દશમાં ગુણસ્થાન સુધી (દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સુક્ષ્મસાપરાય એ) છ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષાયોપથમિક ભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં સમ્યક્રચારિત્ર પર્યાયની અનુક્રમે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com