________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
[
૯
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ઈચ્છનાર મુસાફરને માટે ઝાડનો છાંયો. ૩૨ પ્ર. આકાશદ્રવ્ય કોને કહે છે?
ઉ. જે જીવાદિક પાંચે દ્રવ્યોને રહેવાને માટે જગ્યા
આપે.
૩૩ પ્ર. કાળ દ્રવ્ય કોને કહે છે?
ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને પરિણમન વખતે જે નિમિત્ત (ઉદાસીન હાજર) હોય તેને કાળ દ્રવ્ય કહે છે. જેમકે કુંભારના ચાકને ફરવા ટાણે લોઢાનો ખીલો. ૩૪ પ્ર. કાળના કેટલા ભેદ છે?
ઉ. બે છે. એક નિશ્ચયકાળ, બીજો વ્યવહારકાળ. ૩૫ પ્ર. નિશ્ચયકાળ કોને કહે છે?
ઉ. કાળદ્રવ્યને નિશ્ચયકાળ કહે છે. ૩૬ પ્ર. વ્યવહારકાળ કોને કહે છે?
ઉ. કાળદ્રવ્યની ઘડી, દિવસ, માસ આદિ પર્યાયોને વ્યવહારકાળ કહે છે. ૩૭ પ્ર. પર્યાય કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com