________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
[ અધ્યાય : ૧ ૨૭ પ્ર. કાર્માણવર્ગણા કોને કહે છે?
ઉ. જે કાર્માણ શરીરરૂપ પરિણમે તેને કાર્માણવણા કહે છે. ૨૮ પ્ર. કાર્માણ શરીર કોને કહે છે?
ઉ. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. ૨૯ પ્ર. તૈજસ અને કાર્માણ શરીર કોને હોય છે?
ઉ. સર્વ સંસારી જીવોને તૈજસ અને કાર્માણ શરીર હોય છે. ૩૦ પ્ર. ધર્મ દ્રવ્ય કોને કહે છે?
ઉ. સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુગલોને ગમન કરતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજરી હોય તેને ધર્મદ્રવ્ય કહે છે. જેમકે-માછલીને માટે પાણી. ૩૧ પ્ર. અધર્મ દ્રવ્ય કોને કહે છે?
ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલને સ્થિર થતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમકે સ્થિર થવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com