________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
ઉ. ૨૩ છે:- નવ રૈવેયક, નવ અનુદિશ, પાંચ પંચોત્તર (વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિ). ૪૫૨ પ્ર. નારકીઓના વિશેષ ભેદ કેટલા છે?
ઉ. પૃથિવીઓની અપેક્ષાએ સાત ભેદ છે. ૪૫૩ પ્ર. સાત પૃથિવીઓનાં નામ કયા કયા છે?
ઉ. રત્નપ્રભા (ધર્મા) શર્કરા પ્રભા (વંશા) વાલુકાપ્રભા (મેઘા) પંકપ્રભા (અંજના) ધૂમપ્રભા (અરિષ્ટા) તમ:પ્રભા (મઘવી ) મહાતમપ્રભા (માધવી). ૪૫૪ પ્ર. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને રહેવાનું સ્થાન કયાં છે?
ઉ. સર્વલોક. ૪૫૫ પ્ર. બાદર એકેન્દ્રિય જીવો કયાં રહે છે?
ઉ. બાદર એકેન્દ્રિય જીવ કોઈપણ આધારનું નિમિત્ત પ્રાપ્ત કરીને નિવાસ કરે છે. ૪૫૬ પ્ર. ત્રસ જીવ કયાં રહે છે?
ઉ. ત્રસ જીવ ત્રસનાલીમાં જ રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com