________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૫૬ )
સન્મુખતાથી પ્રગટ થવાવાળા નિજ આત્માના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે.
(૨) ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત માત્ર છે એવા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે.
પ્ર. ૧૬૧–શ્રુતજ્ઞાન કોને કહે છે?
ઉ. (૧) મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થને જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
(૨) આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન કહે છે.
પ્ર. ૧૬૨-અવધિજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક જે રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને અવધિજ્ઞાન કહે છે.
પ્ર. ૧૬૩-મન:પર્યયજ્ઞાન કોને કહે છે ?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થ સંબંધી વિચારોને તથા રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને મન:પર્યયજ્ઞાન કહે છે.
( શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક દ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાય થાય છેઆગળ પાછળ થતા નથી.)
પ્ર. ૧૬૪-કેવળજ્ઞાન કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com