SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates (૫૦) (૩) તેના પર્યાયમાં નિરંતર સમયે સમયે નવું પરિવર્તન થાય છે; કેમકે તેમાં દ્રવ્યત્વગુણ છે. (૪)તે જણાવા યોગ્ય છે, કેમકે તેમાં પ્રમેયત્વ ગુણ છે. ( ૫ ) તેનો કોઈ પણ પરમાણુ પલટીને બીજા રૂપે થતો નથી. તેના દરેક ગુણ-પર્યાય પણ તેની મર્યાદામાં વ્યવસ્થિત છે, કેમકે તેમાં અગુરુલઘુત્વ ગુણ છે. (૬) આકારવાન છે, કેમકે તેમાં પ્રદેશત્વ ગુણ છે. પ્ર. ૧૪૧-માટી વડે થડો થયો છે. કુંભાર વડે ઘડો થયો નથી. તેમાં કયા ગુણોની સાબિતી છે? ઉ. દ્રવ્યત્વ અને અગુરુલઘુત્વ ગુણોની. પ્ર. ૧૪૨-જે નથી જાણતાં તેવાં જડ દ્રવ્યો પણ સ્વતઃ પરિણમે છે, તેમાં કયો ગુણ સાબિત થયો ? ઉ. દ્રવ્યત્વ ગુણ. પ્ર. ૧૪૩–અમે મનુષ્ય છીએ, માટે અમારા કામમાં બીજાની જરૂર પડે, બીજા વિના ન ચાલે–એવું માનનારે કયા ગુણ ન માન્યા? ઉ. મનુષ્ય તો અસમાનજાતીય દ્રવ્ય પર્યાય છે. શરીર અજીવરૂપી પુદ્દગલ દ્રવ્ય છે અને જીવ સદા અરૂપી ચેતન દ્રવ્ય છે. તેનો સંયોગ-એક ક્ષેત્રાવગાહ સંબંધ બંધપણે છે. એક દ્રવ્યને બીજાની જરૂર પડે એમ માનનારે વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વાદિ ગુણો માન્યા નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy