________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦) આશ્રિત છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય, બીજ-અંકુર-વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ–અંકુર-વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી, માટે આ બધાંય, એક વૃક્ષ જ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને ટકતો ભાવ-એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઊપજતા ભાવનો ઉત્પાદ ને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકી સાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે; નાશઉત્પાદ-ધ્રૌવ્ય, તે ભાવોથી ભિન્ન પદાર્થ રૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી, માટે આ બધાંય, એક દ્રવ્ય જ છે.”
(શ્રી પ્રવચનસાર-ગા. ૧૦૧ નો ભાવાર્થ). ૬. “આ સૂત્રમાં સનું અનેકાન્તપણે બતાવ્યું છે. જો કે ત્રિકાળ અપેક્ષાએ સત્ “ધ્રુવ' છે તોપણ સમયે સમયે નવો પર્યાય ઉત્પન્ન થાય છે અને નાનો પર્યાય વ્યય પામે છે એટલે કે દ્રવ્યમાં સમાઈ જાય છે, વર્તમાનકાળની અપેક્ષાએ અભાવરૂપ થાય છે. આ રીતે કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું તે દ્રવ્યનું અનેકાંતપણું છે. ”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૫. સૂ. ૩૦ ની ટીકા) ૭. “આ સૂત્રમાં પર્યાયનું પણ અનેકાંતપણું બતાવ્યું છે. ઉત્પાદ તે અતિરૂપ પર્યાય છે અને વ્યય તે નાસિરૂપ પર્યાય છે. પોતાનો પર્યાય પોતાથી થાય અને પરથી થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com