________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯). ઉ. (૧) જીવ-સંસારી અને સિદ્ધ. (૨) પુદ્ગલ-પરમાણુ અને સ્કંધ. (૩) આકાશ-લોકાકાશ અને અલોકાકાશ.
(૪) કાળ-નિશ્ચય કાળ ને વ્યવહાર કાળ. પ્ર. ૩૭-જગતમાં ક્ષેત્ર અપેક્ષાએ સૌથી મોટું દ્રવ્ય કોણ? ઉ. આકાશ દ્રવ્ય. પ્ર. ૩૮-આત્મા (જીવ) ને શરીર હોય? હોય તો કેવું હોય? ઉ. નિત્ય ચૈતન્યમ્ય અનંત ગુણોનો સમૂહ (શ્રદ્ધા, જ્ઞાન,
ચારિત્ર, સુખાદિ ગુણોનો સમાજ ) તે આત્માનું વાસ્તવિક શરીર છે. તેથી આત્માને જ્ઞાન શરીરી કહે છે. સંયોગરૂપ જે જડ શરીર છે તે ખરેખર આત્માનું શરીર નથી, પણ પુદ્ગલનું છે અને તેથી જડ શરીરને પુદ્ગલાસ્તિકાય
કહેલ છે. પ્ર. ૩૯-આત્માને અવયવ હોય? હોય તો કેવો હોય ? ઉ. (૧) દરેક આત્માને તેના જ્ઞાનાદિ અનંત ગુણો છે અને દરેક ગુણ પરમાર્થ આત્માનો અવયવ છે, આત્મા તે અવયવી છે. (૨) ક્ષેત્ર અપેક્ષાએ દરેક આત્માને પોતાના અખંડ અસંખ્ય પ્રદેશ છે. તેમાંનો એક એક પ્રદેશ આત્માનો અવયવ છે, પણ જડ શરીરના હાથ, પગ વગેરે જીવના અવયવો નથી. તે જડ શરીરના જ અવયવો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com