________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉ. સમય, પલ, ઘડી, દિવસ, મહિના, વર્ષ વગેરે કાળદ્રવ્યના
પર્યાયોને વ્યવહારકાલ કહે છે. પ્ર. ૨૬-જીવાદિક દ્રવ્ય કેટલાં કેટલાં છે? અને તેઓ કયાં
આવેલાં છે? ઉ. જીવદ્રવ્ય અનંત છે અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલાં છે.
જીવદ્રવ્યથી અનંતગુણા અધિક પુદ્ગલ દ્રવ્યો છે અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલાં છે. ધર્મ અને અધર્મ દ્રવ્ય એક એક છે અને તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. આકાશદ્રવ્ય એક છે અને તે લોક તથા અલોકમાં વ્યાપ્ત છે. કાલદ્રવ્ય અસંખ્યાત છે અને તે લોકાકાશમાં (દરેક પ્રદેશે એક એક
એવી રીતે) વ્યાસ છે. પ્ર. ૨૭-અસ્તિકાય કોને કહે છે? ઉ. બહુપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. પ્ર. ૨૮-કેટલાં દ્રવ્યો અસ્તિકાય છે? ઉ. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ-એ પાંચ દ્રવ્યો
“અસ્તિકાય છે. પ્ર. ૨૯-કાલદ્રવ્ય અસ્તિકાય કેમ નથી? ઉ. કાલદ્રવ્ય એક પ્રદેશી છે, તેથી તે અસ્તિકાય નથી. પ્ર. ૩૦-પુગલ પરમાણુ પણ એક પ્રદેશી છે, તો તે અસ્તિકાય
કેવી રીતે છે? છે. જો કે પુગલ પરમાણુ એકપ્રદેશી છે, પણ એનામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com