________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૪)
પુદ્દગલને સ્થિર રહેવામાં જે નિમિત્ત હોય તેને અધર્મદ્રવ્ય કહે છે; જેમ મુસાફરને સ્થિર રહેવામાં વૃક્ષની છાયા.
પ્ર. ૧૨-અધર્મદ્રવ્યની વ્યાખ્યામાં ‘ગતિપૂર્વક સ્થિતિ' કરે તેને અધર્મદ્રવ્ય નિમિત્ત કહેલ છે; તેમાં ગતિપૂર્વક શબ્દો કાઢી નાખવામાં આવે તો શો દોષ આવે ?
ઉ. ગતિપૂર્વક સ્થિતિ કરે એવા જીવ-પુદ્દગલને જ અધર્મદ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત છે એવી મર્યાદા ન રહેતાં સદાય સ્થિર રહેનારાં ધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્યોને પણ સ્થિતિમાં અધર્મદ્રવ્યનું નિમિત્તપણું આવી પડે.
પ્ર. ૧૩–આકાશદ્રવ્ય કોને કહે છે?
ઉ. જે જીવાદિક પાંચ દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે તેને આકાશદ્રવ્ય કહે છે.
પ્ર. ૧૪-આકાશના કેટલા ભેદ છે?
ઉ. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે; પણ ધર્મ-અધર્મદ્રવ્ય તેમાં હોવાથી ( આકાશના ) બે ભેદ છે-લોકાકાશ અને અલોકાકાશ.
જો ધર્મ-અધર્મ દ્રવ્ય લોકમાં ન હોત તો લોક-અલોક એવા ભેદ જ ન થાત. (પંચાસ્તિકાય ગાથા ૮૭ની ટીકા )
પ્ર. ૧૫-લોકાકાશ કોને કહે છે?
ઉ. જેમાં જીવાદિક સર્વ દ્રવ્ય હોય છે તેને લોકાકાશ કહે છે. અર્થાત્ જ્યાંસુધી જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com