________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૦) તો નિષેધ ન કરવો; તેમ સભામાં અધ્યાત્મોપદેશ થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; છતાં કોઈ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મશાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
બીજું, અધ્યાત્મ-ગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય, તો તે પહેલાં પણ મિથ્યાદિષ્ટ હતો અને આજે પણ મિથ્યાષ્ટિ જ રહ્યો; હા, એટલું જ નુકશાન થાય છે, તેને સુગતિ ન થતાં કુગતિ થાય.
વળી અધ્યાત્મોપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે એટલે તેથી તો ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મ-ઉપદેશનો નિષેધ કરવો યોગ્ય નથી.
શંકા- દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ-ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે અને ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે; પણ નીચલી દશાવાળાઓને તો વ્રત, સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.
સમાધાન - જિનમતમાં તો એવી પરિપાટી છે કે, પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યકત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે, તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રત આદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com