________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ ડર )
સ્વરૂપ છે. એ
સૂત્રમાં સ્યાદવાદ
(20) નિમિત્ત તે નૈમિત્તિકથી પર છે, તેથી એકબીજાને કાંઈ કરી શકે નહિ. નૈમિત્તિકના જ્ઞાનમાં નિમિત્ત પરયરૂપે જણાય છે.”
(મોક્ષશાસ્ત્ર ગુ-અ. ૪ નો ઉપસંહાર) પ્ર. ૧૧૫-અર્પિત અને અનર્પિત કથનદ્વારા અનેકાન્ત સ્વરૂપ
કેવી રીતે સમજાય છે? ઉ. મર્પિતાનર્ષિતસિદ્ધા
(તત્ત્વાર્થસૂત્ર અ. ૫, સૂ. –૩૨) ૧. “દરેક વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે. એ સિદ્ધાંત આ
સૂત્રમાં સ્યાદ્વાદ દ્વારા કહ્યો છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નીપજાવનારા છે, તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ. તેનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમકે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે. તે મુખ્યતા-પ્રધાનતાને “અર્પિત” કહેવામાં આવે છે અને તે વખતે જે ધર્મ ગૌણ રાખ્યા હોય તેને “અનર્ષિત' કહેવામાં આવે છે. અનર્પિત રાખેલ ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી, તોપણ વસ્તુમાં તે ધર્મો રહેલા
છે એમ જ્ઞાની જાણે છે. ૨. જે વખતે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને નિત્ય કહ્યું તે જ
વખતે, તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માત્ર તે વખતે અનિત્યતા” કહી નથી પણ ગર્ભિત રાખી છે. તેમજ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, માત્ર તે વખતે “નિત્યતા” કહી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com