________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૦) અર્થ- જે નય ઉપાધિરહિત ગુણ-ગુણીના ભેદને વિષય કરે તેને અનુપચરિતસભૂત વ્યવહારનય કહે છે, જેમકે - જીવના કેવલજ્ઞાનાદિ ગુણો. (પરમાણુના સ્પર્શદિ ગુણો.) ११. असद्भूतव्यवहारो, द्विविधः उपचरितानुपचरितभेदात्। અર્થ- અસદ્દભૂત વ્યવહારનયના બે ભેદ છે:- ૧. ઉપચરિતઅસભૂતવ્યવહારનય, ૨. અનુપચરિત અસભૂતવ્યવહારનય. १२. तत्र सश्लेषरहितवस्तुसम्बन्धविषय उपचरितासद्भूतव्यवहारो, यथा देवदत्तस्य धनमिति। અર્થ- જે પૃથક વસ્તુઓનો (એકરૂપ) સંબંધરૂપ વિષય કરે તે ઉપચરિતસભૂતવ્યવહારનય છે, જેમકે - દેવદત્તનું ધન. १३. संश्लेषसहितवस्तुसम्बन्धविषयोऽनुपचरितासद्भूतव्यवहारो, यथा जीवस्य शरीरमिति। અર્થ- જે નય સંયોગ સંબંધે યુક્ત ભિન્ન બે પદાર્થોના સંબંધને વિષય કરે તેને અનુપચરિતઅસભૂત વ્યવહારનય
કહે છે. જેમકે - જીવનું શરીર. [૫. ઝારીલાલજી સંપાદિત આલાપપદ્ધતિ ૫ ૧૩૬ થી ૧૩૯]
શ્રી પંચાધ્યાયી અનુસાર અધ્યાત્મનોનું સ્વરૂપ તથા તેનાથી વિરુદ્ધ નયાભાસોનું સ્વરૂપ. પ્ર. ૯૩- સમ્યકત્વ અને નયાભાસ (મિથ્યાનય) નું સ્વરૂપ શું
છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com