________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૫) અર્થ- અજ્ઞાનીને સમજાવવા મુનીશ્વરો અભૂતાર્થનો (વ્યવહારનો) ઉપદેશ આપે છે, પરંતુ જે કેવળ વ્યવહારને જ ( સાધ્યો જાણે છે તે મિથ્યાષ્ટિઓ માટે (મુનીશ્વરોની) દેશના હોતી નથી.
(નિશ્ચયના ભાનવિનાને વ્યવહારનો ઉપદેશ કાર્યકારી નથી, કારણકે અજ્ઞાની વ્યવહારને જ નિશ્ચય
માની લે છે. माणवक एव सिंहो, यथा भवत्यनवगीतसिंहस्य। व्यवहार एव हि तथा, निश्चयतां यात्यनिश्चयज्ञस्य।।७।।
અર્થ:- જેમ કોઈ (સાચા) સિંહને સર્વથા ન જાણતો હોય તેને બિલાડું જ સિંહરૂપ છે (તે બિલાડાને જ સિંહ માને છે), તેમ જે નિશ્ચયના સ્વરૂપને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત
થાય છે (તે વ્યવહારને જ નિશ્ચય માની લે છે.) ૮. વ્યવહારનય મ્લેચ્છ ભાષાના સ્થાને છે તેથી પરમાર્થનો
પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમજ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું -એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
(સમયસાર ગા. ૮ ની ટીકા) પ્ર. ૯૧- વ્રત, શીલ, સંયમાદિ તો વ્યવહાર છે કે કેમ? ઉ. ૧. “કાંઈ વ્રત, શીલ, સંયમાદિકનું નામ વ્યવહાર નથી,
પણ તે (વ્રતાદિ) ને મોક્ષમાર્ગ માનવો એ વ્યવહાર છે, એ (માન્યતા) છોડી દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી, ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ એ તો પરદ્રવ્યાશ્રિત છે, અને સાચો મોક્ષમાર્ગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com