________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૦) પ્ર. ૮૯-મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ જીવના ધર્મ સંબંધી - વ્યવહારમાં શો ફેર છે? ઉ. ૧. “........ મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને
અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમઅંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે. અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એ મૂઢદષ્ટિ જીવનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂજે જ ક્યાંથી ? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે. તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે. પણ અંતર્ગર્ભિત અધ્યાત્મક રૂપ ક્રિયા જે અંતરષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણ અંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર આવે નહિ તેથી મિથ્યાદષ્ટિ જીવ (ગમે તેટલી બાહ્યક્રિયા કરતો છતો પણ) મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.. .
“સમ્યગ્દષ્ટિ જીવ અંતર્દષ્ટિ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્યભાવને બાહ્યનિમિત્તરૂપ માને છે. તે નિમિત્ત તો નાના પ્રકારનાં છે-એકરૂપ નથી; તેથી અંતર્દષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન (વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય છે, એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે.
(શ્રી બનારસીદાસજી રચિત પરમાર્થવચનિકા, અને ગુજ. મોક્ષમાર્ગ-પ્રકાશક, પાનું ૩૫૪-પપ.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com