________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૫) પ્ર. ૮૫ જૈનશાસ્ત્રોના અર્થ સમજવાની રીત શી છે? ઉ. જૈનશાસ્ત્રોના અર્થ સમજવાની રીત પાંચ પ્રકારે છે૧. શબ્દાર્થ, ૨. નયાર્થ, ૩. મતાર્થ ૪. આગમાર્થ અને પ.
ભાવાર્થ. ૧. શબ્દાર્થ:- પ્રકરણ અનુસાર વાક્ય કે શબ્દનો યોગ્ય
અર્થ સમજવો. ૨. નયાર્થ:- કયા નયનું વાક્ય છે? તેમાં ભેદનિમિત્તાદિનો ઉપચાર બતાવનાર વ્યવહારનયનું કથન છે કે વસ્તુસ્વરૂપ બતાવનાર નિશ્ચયનયનું કથન છે તે નક્કી કરી અર્થ કરવો તે નયાર્થ છે. ૩. મતાર્થ- વસ્તુસ્વરૂપથી વિપરીત એવા કયા મત (સાંખ્ય
બોદ્ધાદિક ) નું ખંડન કરે છે અને સ્યાદ્વાદ મતનું ખંડન
કરે છે–એવી રીતે શાસ્ત્રનું કથન સમજવું તે મતાર્થ છે. ૪. આગમાર્થ – સિદ્ધાંત અનુસાર જે અર્થ પ્રસિદ્ધ હોય તે
પ્રમાણે કરવો તે આગમાર્થ છે. ૫. ભાવાર્થ:- શાસ્ત્રકથનનું તાત્પર્ય-સારાંશ, હેય-ઉપાદેયરૂપ
હેતુ શું છે તે જે બતાવે તે ભાવાર્થ છે. નિરંજન, જ્ઞાનમયી પરમાત્મદ્રવ્ય જ ઉપાદેય છે; તે સિવાય નિમિત્ત અથવા કોઈ પ્રકારનો રાગ કે વિકલ્પ ઉપાદેય
નથી, એ કથનનો ભાવાર્થ સમજવો. પ્ર. ૮૬- નીચેના શ્લોકનો શબ્દાર્થાદિ પાંચ પ્રકારે અર્થ કરી
સમજાવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com