________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨). પાપ બન્ને અહિતકર જ છે, પરંતુ અજ્ઞાની તેવું માનતો
નથી. આ તેની બંધતત્ત્વ સંબંધી ભૂલ છે. ૫. સંવરતત્ત્વ સંબંધી ભૂલ
નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને હિતકારી છે, પણ મિથ્યાદષ્ટિ જીવ તેમને કષ્ટદાયક માને છે. એ તેની સંવરતત્ત્વ સંબંધી ભૂલ છે. ૬. નિર્જરાતત્ત્વ સંબંધી ભૂલ
આત્મામાં એકાગ્ર થઈ શુભ અને અશુભ-બન્ને પ્રકારની ઈચ્છા રોકવાથી જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે, અને એ તપથી નિર્જરા થાય છે. આવું તપ સુખદાયક છે, પરંતુ અજ્ઞાની તેને કલેશદાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિઓને ભૂલી પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખ માની તેમાં પ્રીતિ કરે છે. એ નિર્જરાતત્ત્વ સંબંધી ભૂલ છે. બાલતપથી નિર્જરા માનવી તે પણ ભૂલ છે. ૭. મોક્ષતત્ત્વ સંબંધી ભૂલ
આત્માની પરિપૂર્ણ શુદ્ધદશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુલતાનો અભાવ છે. પૂર્ણ સ્વાધીન નિરાકુલતા તે સુખ છે, પરંતુ અજ્ઞાની એવું નહિ માનતાં શરીરમાં, મોજ-શોખમાં જ સુખ માને છે. મોક્ષમાં દેહ, ઇન્દ્રિય, ખાવું-પીવું, મિત્રાદિ કંઈપણ હોતું નથી, તેથી અજ્ઞાની અતીન્દ્રિય મોક્ષસુખને માનતો નથી. એ તેની મોક્ષતત્ત્વ સંબંધી ભૂલ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com