________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧) ૨. અજીવ તત્ત્વ સંબંધી ભૂલઃ
મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, ધન, શરીર ઈત્યાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઈષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું; શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો; શરીરની ભૂખ, તરસ આદિરૂપ અવસ્થા થતાં મને ભૂખ, તરસ વગેરે થઈ રહ્યાં છે-એવું માનવું શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો, ઈત્યાદિ અજીવની અવસ્થાને, અજ્ઞાની જીવ પોતાની અવસ્થા માને છે. આ તેની અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે, કારણ કે તે અજીવને જીવ માને છે. આમાં અજીવને સ્વતત્ત્વ (જીવતત્ત્વ) સ્વીકારતાં તે અજીવ તત્ત્વનો અસ્વીકાર કરે છે. ૩. આસ્રવ તત્વ સંબંધી ભૂલ
મિથ્યાત્વ, રાગ, દ્વેષ શુભાશુભભાવ આસ્રવ છે; તે ભાવ આત્માને પ્રગટરૂપે દુ:ખ દવાવાળા છે, પરંતુ મિથ્યાષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું
સેવન કરે છે. આ તેની આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે. બંધ તત્ત્વ સંબંધી ભૂલ
જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી બને બંધનકારક છે. તેવી રીતે પુણ્ય અને પાપ બન્ને જીવને બંધનકર્તા છે; પરંતુ મિથ્યાષ્ટિ જીવ એવું નહીં માનતા પુણ્યને સારું હિતકારી માને છે. તત્ત્વદષ્ટિએ તો પુણ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com