________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૨). એમ જાણવું; તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું...”
( શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, પા. ૨૫૬) પ. આ સંબંધમાં શ્રી ભગવતીદાસજીએ “બ્રહ્મવિલાસ' પૃ.
૨૩૩ પર નિમિત્ત-ઉપાદાનના સંવાદરૂપે કહ્યું છે કેનિમિત્ત- “દેવ જિનેશ્વર ગુરુ યતિ, અર જિન આગમસાર,
ઈહિ નિમિત્તલૈં જીવ સબ પાવત હૈ ભવતાર.” ઉપાદાનઃ- “યહ નિમિત્ત ઈહુ જીવકો, મિલ્યો અનંતી વાર,
ઉપાદાન પલટયો નહીં, તો ભટક્યો સંસાર.” નિમિત્ત - “કે કેવલી કે સાધુ કે, નિકટ ભવ્ય જ હોય,
સો ક્ષાયિક સમ્યફ લહૈ, યહ નિમિત્ત બલ જોય” ઉપાદાના:- “કેવલી અરુ મુનિરાજકે, પાસ રહે બહુ લોય,
પૈ જાકો સુલટયો ધની, ક્ષાયિક તાકો હોય.' આથી સમજાય છે કે નિમિત્તો તો જીવને પૂર્વે અનંત વાર મળ્યાં છે, પણ પોતાના ક્ષણિક ઉપાદાનકારણ વિના તે મોક્ષમાર્ગ પામી શક્યો નથી અને તેથી તે સંસાર-અટવીમાં ભટકી રહ્યો છે. પ્ર. ૪૧૧-નિમિત્ત ભલે કંઈ ન કરે, પણ નિમિત્ત વિના તો
ઉપાદાન કાર્ય થતું નથી ને? ઉ. ૧. “નિમિત્ત વિના.કાર્ય થતું નથી' એ વ્યવહારનયનું
કથન છે. તેનો અર્થ એ છે કે-“તેમ નથી; પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેમ કહેવામાં આવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com