________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૯) ૨. નિમિત્ત વ્યવહારકારણ છે એમ નહીં માનનારને
“નિમિત્ત વિના કાર્ય થતું નથી.' એમ બતાવવામાં આવે છે; પણ વ્યવહારના કથનોને નિશ્ચયનાં કથનો સમજવાં તે ભૂલ છે.
(જુઓ, સમયસાર ગાળ ૩ર૪-૩ર૭ તથા ટીકા) ૩ એવું નથી કે-કદી કાર્ય માટે નિમિત્તની રાહ જોવી પડે,
અથવા નિમિત્તો મેળવવા પડે, અથવા નિમિત્ત છે તેથી
ઉપાદાનમાં કાર્ય થાય છે. ૪ પ્રત્યેક સમયે ઉપાદાનમાં નિશ્ચિત કાર્ય થાય છે અને તે
કાળે નિમિત્ત પણ નિશ્ચિત હોય છે જ. ૫ દરેક દ્રવ્ય અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે પરિણમન
કરે જ છે, તે પરિણામ પોતે કાર્ય છે અને દરેક સમયના કાર્ય માટે ઉપાદાન અને નિમિત્તકારણો અર્થાત્ ઉપાદાનરૂપ ઉત્પાદક સામગ્રી અને નિમિત્તરૂપ ઉત્પાદક સામગ્રી હોય જ છે. કોઈ સમયે તે ન હોય તેમ બનતું જ નથી.
( જુઓ, પ્રકરણ પખું, પ્રશ્ન ૩૬૩. ) પ્ર. ૪૦૯-પુદ્ગલ કર્મની જોરાવરીથી જીવમાં રાગ-દ્વેષના
પરિણામ થાય છે એ બરાબર છે? ઉ. ૧. ના; શ્રી સમયસાર નાટક' માં આવો પ્રશ્ન ઉપસ્થિત કરી તેનું નીચે પ્રમાણે સમાધાન કર્યું છે:“કોઉ મૂરખ યોં કહે, રાગ દોષ પરિનામ; પુગલકી જોરાવરી, વરતે આતમરામ.
ક્ય જ્યોં પુગ્ગલ બલ કરે, ધરિ ધરિ કર્મજ ભેષ; રાગદોષક પરિનમન, ત્યોં ત્યોં હોઈ વિશેષ.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com