________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૨) તે દુ:ખનો સ્વામી થતો નથી. તેને પોતાના ધ્રુવસ્વભાવની દષ્ટિના બળે રાગદ્વેષ ટળતો જાય છે, અને જેમ જેમ કષાયનો અભાવ થતો જાય છે તેમ તેમ તેને સુખનો અનુભવ નિરંતર વર્તતો રહે છે.
....સુખી-દુઃખી થવું ઇચ્છાના અનુસાર જાણવું, પણ બાહ્ય કારણોને આધીન નથી ઇચ્છા થાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમથી થાય છે તથા ઈચ્છમાત્ર આકુળતામય છે. અને આકુળતા એ જ દુ:ખ છે....મોહના સર્વથા અભાવથી
જ્યારે ઇચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટે.”
(ાઓ મોક્ષમાર્ગપ્રકાશક-ગુ. આ. ૭૫-૭૬ ) પ્ર. ૩૭૧-શું કર્મના ઉદય પ્રમાણે જીવ વિકાર કરે છે? ઉ. ના; કારણ કે -
૧. “મોહકર્મનો વિપાક થતાં જીવ જે પ્રકારનો વિકાર કરે તે પ્રકારે જીવે ફળ ભોગવ્યું કહેવાય છે. તેનો અર્થ એટલો છે કે જીવને વિકાર કરવામાં મોહકર્મનો વિપાક નિમિત્ત છે. કર્મનો વિપાક કર્મમાં થાય, જીવમાં થાય નહિ. જીવને પોતાના વિભાવભાવનો અનુભવ થાય તે જીવનો વિપાક-અનુભવ છે.
(ગુ. મોક્ષશાસ્ત્રઅ. ૮, સૂ. ૨૧ની ટીકા) ૨. ““ઔદયિકભાવમાં સર્વ ઔદયિકભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ-એ ચાર ભાવો બંધનું કારણ છે એમ સમજવું,
( શ્રી ધવલા પુસ્તક ૭, પા. ૯-૧૦).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com