________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૨) પ્ર. ૩૧૯-દહીંને વર્તમાન પર્યાય તરીકે લઈ તેનો પ્રાગભાવ
અને પ્રધ્વસાભાવ સમજાવો.
ઉ. દહીંનો પૂર્વપર્યાય દૂધ હતો, તેમાં દહીંનો અભાવ હતો, તેથી તેનો પ્રાગભાવ છે; અને છાશ તે દહીંની ભવિષ્યનો પર્યાય છે. તેમાં દહીંનો અભાવ છે, તેથી તેનો પ્રäસાભાવ છે.
પ્ર. ૩૨૦-અન્યોન્યાભાવ કોને કહે છે?
ઉ. એક પુદગલ દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં જે અભાવ તેને અન્યોન્યાભાવ કહે છે.
પ્ર. ૩ર૧-દૂધ, દહીં અને છાશ-એ ત્રણ વર્તમાન ચીજો છે. તેમાં
કેટલા અને કયા અભાવ છે?
ઉ. ત્રણે પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયો છે, તેથી તેમાં એક
જ અન્યોન્યાભાવ છે.
પ્ર. ૩રર-છાપરાને ભીંતનો આધાર છે અને ઉપરના નળિયાને
છાપરાનો આધાર છે, એ બરોબર છે?
ઉ. ના; કેમકે તેમનામાં અન્યોન્યાભાવ છે. દરેકની ભિન્નભિન્ન
સત્તા હોવાથી બધાય પોતપોતાના ક્ષેત્રના આધારે છે. એક પરમાણુના પર્યાય બીજા કોઈ દ્રવ્યના આધારે નથી.
પ્ર. ૩ર૩–તૈજસ શરીર અને કાર્માણ શરીર વચ્ચે ક્યો અભાવ
છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com