________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦] નિમિત્ત વિના કાર્ય ન થાય તેવું કથન પણ વ્યવહારનું છે, એટલે કે એમ નથી, પણ દરેક કાર્ય વખતે ઉચિત નિમિત્ત ઉપસ્થિત હોય છે એમ બતાવવા માટે એવું કથન આવે છે, છતાં જો નિમિત્તની જરૂરિયાત ઉપાદાનને પડે છે અથવા તેની રાહ જોવી પડે છે અથવા તેની સહાયની જરૂર પડે છે અથવા નિમિત્તનો પ્રભાવ પડે છે કે તે નિમિત્ત વિના ઉપાદાનમાં ખરેખર કાર્ય થતું નથી-એમ માનવામાં આવે તો પર વિના સ્ત્રમાં કાર્ય ન થાય એમ ઠરે. પણ દરેક દ્રવ્યનું કાર્ય પોતપોતાના છ કારકોથી સ્વતંત્રપણે થાય છે. તેથી એમ નિર્ણય થાય છે કે કાર્ય થતી વખતે નિમિત્તની ઉપસ્થિતિ હોય છે એટલું જ્ઞાન કરાવવા માટે તે દર્શાવેલ હોય છે. નિમિત્તથી કાર્ય થયું એવાં કથન જૈન શાસ્ત્રોમાં આવે છે તેને પણ
વ્યવહારનયનું કથન જ સમજવું. ત્યાં એવો અર્થ કરવો કે નિમિત્તથી નૈમિત્તિક કાર્ય થયું નથી પણ નૈમિત્તિકમાં સ્વતંત્રપણે કાર્ય થયું તે વખતે નિમિત્ત કોણ હતું તે બતાવવા માટે એ કથન કરેલ છે.
કોઇ એમ માને છે કે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જીવના પર્યાય અને કર્મ વચ્ચે જ હોય. બીજા કોઇ વચ્ચે ન હોય; પણ તે વાત બરાબર નથી. બીજાઓ વચ્ચે પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. માત્ર જ્યારે જ્યારે કારણો બતાવવા હોય ત્યારે ત્યારે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ એમ કહેવામાં આવે છે અને બે પદાર્થો વચ્ચેના કારણ-કાર્ય બતાવવા હોય ત્યારે નિમિત્ત કારણ ને નૈમિત્તિક કાર્ય-એમ કહેવામાં આવે છે; અને એક જ દ્રવ્યમાં પોતાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com