________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૧) ઉ. બન્નેના આકારમાં-ઊંચાઈ વગેરેમાં ફેર હોઈ તેમના
વ્યંજનપર્યાયમાં ફેર છે, પણ તેમના પ્રદેશત્વગુણ સિવાયના બાકીના ગુણોના પર્યાયો સમાન હોઈ તેમના અર્થપર્યાયો
સરખા છે. પ્ર. ૨૮૭-બે પરમાણુ દ્રવ્યના વ્યંજનપર્યાય તથા અર્થપર્યાય
સરખાવો તથા તેમને જીવના સિદ્ધપર્યાય સાથે સરખાવો. ઉ. (૧) બે છૂટા પરમાણુ છૂટા રહે છે ત્યાં સુધી તેમના
સ્વભાવવ્યંજનપર્યાય સરખા રહે છે.
સ્વભાવઅર્થપર્યાય શુદ્ધ હોવા છતાં તેના સ્પર્શાદિગુણોના પરિણમનમાં પરસ્પર ફેર હોય છે.
પરમાણુનો બંધસ્વભાવ હોવાથી તેમાં ફરી સ્કંધ થવાની લાયકાત (યોગ્યતા) છે, તેથી તેના સ્પર્શગુણના કારણે તેઓ બંધદશાને પ્રાપ્ત કરે છે. (૨) બે સિદ્ધાત્માઓના પરસ્પર સ્વભાવવ્યંજનપર્યાય
સરખા હોતા નથી, પણ છૂટા બે પરમાણુના
વ્યંજનપર્યાય સરખા હોય છે.
બે સિદ્ધાત્માઓના સ્વભાવઅર્થપર્યાયો કાયમ સરખી રીતે શુદ્ધ પરિણમે છે, પણ બે છૂટા પુદ્ગલપરમાણુઓમાં તેમ થતું નથી.
સિદ્ધ ભગવાન શુદ્ધ થયા તે થયા, ફરી કદી પણ બંધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com