SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૪) એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. (૩) તર્ક-કોઈ ચિહ્ન દેખીને “અહીં તે ચિહ્નવાળો જરૂર હોવો જોઈએ' એવો વિચાર તે તર્ક (ચિંતા) છે. આ જ્ઞાનને ઉહુ અથવા વ્યાતિજ્ઞાન પણ કહે છે. (૪) અનુમાન-સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહ્નવાળા પદાર્થનો નિર્ણય કરવો તેને અનુમાન (અભિનિબોધ) કહે છે. પ્ર. ૨૭)-મતિજ્ઞાનના ક્રમના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે-૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪. ધારણા. (૧) અવગ્રહ-ઇન્દ્રિય અને પદાર્થને યોગ્ય સ્થાનમાં રહેવાથી સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તર સત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે, જેમકે - આ મનુષ્ય છે. (૨) ઈહા-અવગ્રહજ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં ઉત્પન્ન થએલા સંશયને દૂર કરતા એવા અભિલાષસ્વરૂપ જ્ઞાનને ઈહા કહે છે, જેમકે-તે ઠાકુરદાસજી છે. આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઈપણ પદાર્થની ઈહા થઈને છૂટી જાય તો તેના વિષયમાં કાળાન્તરમાં સંશય અને વિસ્મરણ થઈ જાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy