________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૧ )
ઉ. જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા હોતી નથી તે ગુણને અભવ્યત્વ ગુણ કહે
છે.
પ્ર. ૧૭૪-જીવત્વ ગુણ કોને કહે છે.?
ઉ. આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્યમાત્રભાવરૂપ ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે તે શક્તિને જીવત્વગુણ કહે છે.
પ્ર. ૧૭૫-પ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે–દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ.
પ્ર. ૧૭૬–દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે ?
ઉ. દશ ભેદ છે. પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, શ્વાસોચ્છ્વાસ અને આયુ.
( એ સર્વ પુદ્દગલ દ્રવ્યના પર્યાયો છે. આ દ્રવ્યપ્રાણોના સંયોગ-વિયોગથી જીવોની જીવન-મરણરૂપ વ્યવહારથી કહેવાય છે.)
અવસ્થા
પ્ર. ૧૭૭–ભાવપ્રાણ કોને કહે છે?
ઉ. ચૈતન્ય અને (ભાવ) બલપ્રાણને ભાવપ્રાણ કહે છે.
પ્ર. ૧૭૮-ભાવપ્રાણના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છે-ભાવેન્દ્રિય અને બલપ્રાણ.
આ ભેદ સંસારી જીવોમાં છે. ભાવેન્દ્રિયો બધી ચેતન છે અને તે જ્ઞાનના મતિરૂપ પર્યાયો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com