________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇબ્દોપદેશદાતા શ્રી વીતરાગ સર્વશદેવને નમસ્કાર!
પ્રકાશકીય નિવેદન
શ્રી પૂજ્યપાદાચાર્યદેવ રચિત સમાધિની પ્રાપ્તિ કરાવનારો અત્યુત્તમ ગ્રન્થ “શ્રી સમાધિતંત્ર-સમાધિશતક' શ્રી પ્રભાચન્દ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા સહિત, ગુજરાતી અનુવાદરૂપે આ સંસ્થા દ્વારા ત્રણ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયો છે અને જિજ્ઞાસુ ભાઈબેનોએ તેને સારો આવકાર આપ્યો છે. તેનાથી પ્રેરણા પામી, તે આચાર્યભગવાનની ભેદજ્ઞાનમૂલક બીજી કૃતિ “ઇબ્દોપદેશ' ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત કરતાં અત્યાનંદ થાય છે.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઇષ્ટ ( હિત) ના ઉપદેખા છે. તે સર્વજ્ઞવાણી અનુસાર શ્રી પૂજ્યપાદાચાર્યદવે “ઈસ્ટોપદેશ' ની રચના કરી છે અને તેને અનુસરીને વર્તમાનમાં શુદ્ધસ્વરૂપજીવી આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજી સ્વામી અમોઘ આત્મસ્પર્શી પ્રવચનો દ્વારા નિરંતર ઈષ્ટોપદેશ આપી, આપણને ઉપકૃત કરી રહ્યા છે તે બદલ તેમનાં પાવન ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે નમસ્કાર!
જેમ “સમાધિતંત્ર” નો ગુજરાતી અનુવાદ સદ્ધર્મપ્રેમી ભાઈશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી બી. એ. (ઓનર્સ), એસ. ટી. સી. ( સોનાસણવાળા) એ કર્યો છે તેમ આ “ઇબ્દોપદેશ' નો ગુજરાતી અનુવાદ પણ તેમણે જ તૈયાર કરી આપ્યો છે. (તેમનો પરિચય “સમાધિતંત્ર” ના પ્રકાશકીય નિવેદનમાં આપ્યો છે.) આ અનુવાદ તેમણે જિનપ્રવચન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને પ્રમુદિતભાવે, તદ્દન નિઃસ્પૃહતાપૂર્વક કરી આપ્યો છે. ઇબ્દોપદેશના ભાવો જાળવી રાખવા તેમણે અત્યંત ચીવટ રાખી છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને તેમને ધન્યવાદ આપવા સાથે તેમના પ્રત્યે આભાર પ્રદર્શિત કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com