________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદकथं भूतान, तापकान देहेन्द्रियमनः क्लेशहेतून। व? आरंभे उत्पत्त्युपक्रमे। अन्नादिभोग्यद्रव्य-संपादनस्य कृष्यादिक्लेश- बहुलतया सर्वजनसुप्रसिद्धत्वात्। तर्हि भुज्यमानाःकामाः सुखहेतवःसन्तीतिसेव्यास्ते इत्याह , प्राप्तावित्यादि। प्राप्तौ इन्द्रियेण सम्बन्धे सति अतृप्तेः सुतृष्णायाः प्रतिपादकान् दायकान्। $ [ જ્ઞાનાર્થવે ૨૦-૩૦]
મરિ સંક્રપિતા: વામા: સમવંતિ યથા યથા. तथा तथा मनुष्याणां तृष्णा विश्वं विसर्पति।।"
| ( શિષ્ય) કહે છે ત્યારે ઇચ્છા પ્રમાણે તે (ભોગોપભોગને) ભોગવીને તૃત થતાં, તૃષ્ણારૂપી સંતાપ શમી જશે. તેથી તે સેવવા યોગ્ય છે.
(આચાર્ય) કહે છે- અંતે તે છોડવા મુશ્કેલ છે અર્થાત્ ભોગવ્યા પછી તેઓ છોડવા અશક્ય છે, કારણ કે તેમને સારી રીતે ભોગવવા છતાં, મનની આસક્તિ નિવારવી મુશ્કેલ છે. કહ્યું છે કે- ‘વંદન..'.
જોકે અગ્નિ ઘાસ, લાકડાં આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય અને સમુદ્ર, સેંકડો નદીઓથી તૃપ્ત થઈ જાય, પરંતુ પુરુષ ઇચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. અહો! કર્મની એવી કોઈ ( વિચિત્ર) બળજબરાઈ (બલવાનપણું ) છે!'
વળી કહ્યું છે કે- “મિપીવું....'
અહો ! આ વિષયમયી વિષ કેવું અતિ વિષમ (ભયંકર) છે કે જેથી આ પુરુષ તેનો ભવ ભવમાં અત્યંત અનુભવ કરવા છતાં (વિષય-સુખના અનુભવથી ઉત્પન્ન થતાં દુઃખોને અનુભવવા છતાં) તેનું મન ચેતતું જ નથી”
શિષ્ય પૂછે છે- તત્ત્વજ્ઞાનીઓએ પણ ભોગો ન ભોગવ્યા હોય એમ સાંભળવામાં આવ્યું નથી (અર્થાત્ તત્ત્વજ્ઞાનીઓ પણ ભોગો ભોગવે છે એ જાણીતું છે), તો “કોણ બુદ્ધિમાન ભોગોને સેવશે (ભોગવશે )' – એવા ઉપદેશમાં કેવી રીતે શ્રદ્ધા કરાય? (અર્થાત્ એવો ઉપદેશ કેવી રીતે મનાય?)
આચાર્ય કહે છે- ( જ્ઞાની) “મન' એટલે અતિશયપણે (આસક્તિપૂર્વક- રુચિપૂર્વક તે સેવતો નથી) અહીં તાત્પર્ય એ છે કે
ચારિત્રમોહના ઉદયથી ભોગોને છોડવા અસમર્થ હોવા છતાં, તત્ત્વજ્ઞાની ભોગોને હેયરૂપે સમજીને (એટલે તેઓ છોડવા યોગ્ય છે એમ સમજીને) સેવે છે. જેનો મોહનો ઉદય મંદ પડી ગયો છે તેવો તે ( જ્ઞાની) જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય-સમૂહને વશ કરી (ઇન્દ્રિયો તરફના વલણને સંયમિત કરી) એકાએક (શીધ્ર) આત્મકાર્ય માટે ઉત્સાહિત થાય છે; તથા કહ્યું છે કે – “વંછમિય....'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com