________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૬૧ ને સ્વર્ગના પણ અનંતા ભવ કર્યા. સ્વર્ગમાં પણ નરકની જેમ દસ હજારની સ્થિતિથી માંડીને નવમી ગ્રેવયેક સુધીના ૩૧ સાગર સુધીની સ્થિતિના એક એક સમયની સ્થિતિમાં અનંતવાર જીવ ઉપજ્યો છે હો! આહાહા ! અરે ! કીડીના અનંતા, કાગડાના અનંતાને કષાઈના અનંતા ભવ કર્યા! ત્રાસ ત્રાસ થઈ જાય એવા અનંતા ભવ તે કર્યા બાપુ! ઘાણીમાં અનંતવાર પીલાયો, વીંછીના આકરાં ડંખથી અનંતવાર માર્યો, અનંતવાર નાગના કરડવાથી મર્યો, પણ ભાઈ ! તું ભૂલી ગયો ! એક સમ્યગ્દર્શન વિના તે ૮૪ લાખ યોનિમાં અનંતા ભવ કર્યા.
નવમી ગ્રેવયેક અનંતવાર ગયો, ત્યાં પાપ કરીને તો જાય નહિ, મહા પંચ મહાવ્રત ને શુક્લલેશ્યા એવી હોય ત્યારે એવા પરિણામથી નવમી ગ્રેવયેક ગયો હોય. પરંતુ એવા પરિણામથી પણ સમકિત ન પામ્યો તો હવે બીજા પરિણામથી તું શું સમકિત પામીશ? એમ અભેદ ચિદાનંદમૂર્તિની સીધી દષ્ટિ કરીને અનુભવ કરે તો જ સમ્યગ્દર્શન પામે, એ સિવાય નવમી ગ્રેવયેક જેવા પરિણામ કરે તો પણ તેનાથી સમકિત પામતો નથી.
અનાદિકાળથી આજ સુધીના ગયા કાળમાં હજુ સુધી સમ્યગ્દર્શન પામ્યો નથી. એક ભગવાન આત્માનો આદર ન કર્યો ને બીજું બધું જ કર્યું તેથી સમકિત ન પામ્યો. તારા મિથ્યાત્વભાવે તને અનંતવાર ૮૪ લાખ યોનિના કૂવામાં તને નાખ્યો છે. પુણ્યથી ધર્મ થશે, ક્રિયાથી ધર્મ થશે, રાગથી લાભ થશે-એવા કાળા નાગ જેવા મિથ્યાત્વભાવને લઈને અનંતા પરિભ્રમણ કર્યા. ભગવાન વિના સમકિત નહિ થાય એમ તેં માન્યું નહિ ને રાગ વિના ને વ્યવહાર વિના ધર્મ નહિ થાય એમ માનીને તે અનંતા ભવ કર્યા.
આવા ભવ કર્યા પણ સમકિત ન પામ્યો. ભવના કારણ સેવ્યા તેથી સમકિત ન પામ્યો. કેમકે જેના કારણે ભવ મળે તેના કારણે સમકિત ન મળે. ચામડી ઉતરડીને ખાર છાંટે તોપણ ક્રોધ ન કરે એવા પરિણામે નવમી ગ્રેવયેક ગયો તોપણ સમકિત ન પામ્યો તેનો અર્થ એ કે સમકિત કોઈ બીજી ચીજ છે, એ ભાવ વડે સમકિત પમાય એવી એ ચીજ નથી.
આ તો યોગસાર છે ને! યોગીન્દ્રદેવ મુનિ જગત સમક્ષ આ વાત મૂકે છે કે આત્માના સ્વભાવનો આશ્રય કરીને જે નિર્મળ યોગ સમકિતનો પ્રગટ થાય છે તે કદી પ્રગટ કર્યો નથી એક સમકિત વિના બીજું બધું અનંતવાર કરી ચૂક્યો છે પણ આ એક સમકિત કર્યું નથી.
એમ નક્કી કર કે અનંતા ભવમાં અનંતા ભાવ કર્યા પણ એ ભાવ વડે સમકિત પામ્યો નથી. અંદર અખંડ આનંદ પ્રભુનો આશ્રય કરવાથી જ સમકિત પમાય છે એ સિવાય બીજા કોઈ આશ્રયે સમકિત પમાતું નથી. પરંતુ અનાદિથી એને પરની કિંમત લાગી છે ને સ્વની કિંમત થઈ નથી. પોતે અનુભવ કરવાને લાયક પોતાથી છે, પરના અવલંબનથી નહિ, રાગ ને વ્યવહારના અવલંબનથી અનુભવ થાય એવી ચીજ આત્મા નથી. એવા આત્માની કિંમત કર્યા વિના આવા ૮૪ લાખ યોનિના અવતારમાં રખડવું મયું નથી, પછી ભલેને ૧૨-૧૨ મહિનાના અપવાસ કર્યા હોય !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com