________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪] બચાવી શકતું નથી. એક શરણભૂત માત્ર પોતાનો આત્મા છે એમ વિચાર કરીને સજ્જનોએ આત્મિક કામ કરવામાં વાર લગાવવી ન જોઈએ. આવો મનુષ્યદેહ, પાંચ ઈન્દ્રિય અને જૈનધર્મ મળ્યા પછી આત્મહિતના કાર્યમાં વાર ન લગાડીશ. આજે જ કરજે. અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસારમાં કહે છે કે આજે જ તારું હિત સાધી લે. વિલંબ ન કર!
પૂર્ણાનંદનો નાથ ચૈતન્યરત્નાકર એવા નિજ આત્મામાં દષ્ટિ કરતાં નિધાન ફાટે તેવું છે. બહાર નજર કરતાં હોળી સળગે તેવું છે. બહાર નજર કરતાં વિકલ્પ ઊઠશે અને આકુળતા થશે અને નિરાકુળ સ્વભાવમાં દષ્ટિ કરતાં પર્યાયમાં પણ નિરાકુળતા પ્રગટશે. માટે હે જીવ! સ્વભાવદષ્ટિ કરવામાં તું જરાપણ વિલંબ ન કર ! આજે જ કર! અત્યારે જ કર !
HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT.
* અરે! એક વાળો શરીરમાં નીકળતાં પીડાનો પાર રહેતો નથી. તો આ મારું શરીર, મારું ઘર, મારી સ્ત્રી, પુત્ર, મિત્ર, આ મારું ધન, આબરૂ એમ અનેક મારા એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી-પુત્રમિત્રવાળો એમ અનેક વાળાની પીડાનું એને ભાન નથી પણ પીડાય છે.
-પૂજ્ય ગુરુદેવ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com